ધરગથ્થુ ઉપચારઃ તાવ માટે

* આદું,લીબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને ઉપયોગ કરવાથી ઉધરસ,શરદી કે તાવ તેમજ શમગ્ર શરીરમાં થતું કળતર મટે છે.

* તુલસી અને સુરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.

* કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો અડધી ચમચી મીઠું ગરમ પાણિમાં દિવસમાં ત્રણવાર લેવાથી તાવ ઉતરી જાય છે અને તાવ ઉતર્યા પછી સવાર-સાંજ પા ચમચી મિંઠુ બે દિવસ લેવાથી તાવ પાછો આવતો નથી

* કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે.

* સખત તાવમાં માથા ઉપર ઠંડા પોતા મુકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી.

* કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફુદીનાના પાન નાખી ઉકાળી,નીચે ઉતારી,૧૦ મિનિટ ઢાંકી રાખી પછી મધ નાખીને પીવાથી કોઈપણ જાતનો તાવ મટૅ છે.

* લસણની કળી પાંચથ દસ ગ્રામ કાપીને તલના તેલ કે ધીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે.

* તુલસીના પાન, અજમો અને સુઢનું ચુર્ણ સરખે ભાગે લઈ તેમાં મધ લેવાથી ફલુનો તાવ મટે છે.

* પાંચ ગ્રામ તજ,ચાર ગ્રામ સુંઢ,એક ગ્રામ લવિંગનું ચુર્ણ બનાવી તમાંથી બે ગ્રામ જેટલું ચુર્ણ,એક કપ ઉકળતા પાણીમાં નાખી ૧૫-૨૦ મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફલુનો તાવ બેચેની મટે છે.

* ૧૦ ગ્રામ ધાણાઅ અને ત્રણ ગ્રામ સુઢ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફલુનો તાવ મટે છે.

* એક ચમચી ગંઠોડાનું ચુર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દુધ પીવાથી ટાઢિયો તાવ મટે છે.

* ફુદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.

* ગરમ કરેલા દુધમાં હળદર અને મરી મેળવીને પીવાથી  ટાઢિયો તાવ મટે છે.

* મરીનું ચુર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી  ટાઢિયો તાવ મટે છે.

* જિરુ વાટીને ચારગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણે કોઠે પીવાથી ટાઢિયો તાવ મટે છે.

* ફુદીનાનો તાજો રસ મધ સાથે મેળવીને દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે.

* તુલસી,કાળાં મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીબુંનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મલેરિયાનો તાવ મટૅ છે.

* ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઉતરે છે.

* મલેરિયાના તાવમાં વારંવાર ઉલડીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી,મસળી,ગાળી થોડીથોડી વારે પીવાથી ઉલટી મટે છે.

* ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.

* મઠ કે મઠની દાળનો સુપ બનાવી પીવાથી રોજ આવતો તાવ મટે છે.

* એલચી નંગ ૩ તથા મરી નંગ ૪ રાતે પાણીંમાં ભીજવી રાખી સવારે તે બરાબર ચાળીને પાણિ ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ મટે છે.

* વરિયાળી અને ધાણાનો ઉકાળૉ કરી સાકર નાખી પીવાથી પિતનો તાવ મટૅ છે.

* શરદીને લીધે આવતાં તાવમાં તુલસીનાં પાનનો રસ મધ સાથે લેવાથી તાવ મટે છે.

* સંનિપાતના તાવમાં શરીર ઠંડુ પડી જાય ત્યારે ગરમી લાવવા માટે રાઈના તેલની માલિસ કરવાથી આરામ થાય છે.

* હિંગ અને કપુરની સરખે ભાગે ગોળીઓ બનાવી લઈ(કપુરહિંગવટીની ગોળી જે દવાખાનામાં પણ મળે છે)ીકથી બે ગોળિ લઈ આદુનો રસ પીવાથી સનેપાત (લવરી)નો તાવ મટે છે અને દર્દી ભાનમાં આવે છે.

* ફલુના તાવમાં ત્રણ તોલા પાણી સાથે એક લીંબુનો રસ દિવસમાં ચાર-પાંચવાર પીવથી ફલુનો તાવ ઉતરે છે.

error: Content is protected !!