ધરગથ્થુ ઉપચારઃ કફ માટે

* કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે.

* રાત્રે સુતી વખતે ત્રણચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દુધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.

* અર્ધા તોલા જેટાલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે.

* દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ધુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળૉ થઈને બહાર નીકળૅ છે અને ફેફસા સાફ બને છે.

* દોઢથી બે તોલા આદુના રસમાં મધ મેળાવી પીવાથીકફ મટે છે.

* તુલસીનો રસ ૩ ગ્રામ,આદુનો રસ ૩ ગ્રામ અને ૧ચમચી મધ લેવાથી કફ મટે છે.

* એલચી,સિંધવ, ધી અને મધ ભેગાં કરીને ચાટવાથી કફ મટે છે.

* આદુનો રસ,લીબુંનો રસ અને સિંધવ મેળવી જમતાં પહેલા લેવાથીકફ,શ્વાસ અને ઉધરસ મટે છે.

* દુધમાં હળદર,મિઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે.

error: Content is protected !!