Warning: Constant automattic\jetpack\extensions\social_previews\FEATURE_NAME already defined in /www/wwwroot/raviyafitness.com/wp-content/plugins/jetpack/extensions/blocks/social-previews/social-previews.php on line 14
ઔષધ આયુર્વેદ Archives - Page 2 of 6 - Raviya Fitness

માખણ ખાઓ તબિયત બનાવો..

દહીંને વલોવી તેમાંથી સારરૂપ માખણ કાઢવામાં આવે છે. માખણ સ્પર્શે ખૂબ જ મૃદુ (સુંવાળું) હોય છે. તે નાનાં-મોટાં સર્વેને માટે અમૃત સમાન છે. ઘી કરતાં માખણ જલદી પચે છે. તાજું માખણ સ્વાદિષ્ટ હોય છે. માખણ દરરોજ નવા તાજા કોશ બનાવે છે. દેહને સુકુમાર કરે છે. વીર્યને ખૂબ વધારે છે તેમજ પિત્ત અને વાયુનો નાશ કરે … Read more

જાણો કંદમુળ વિશેઃકોળુ

કોળા બે પ્રકારના છે – રાતું અને ભૂરું. રાતું શાકમાં, ભૂરું ઔષધમાં અને પાકમાં વધુ વપરાય. બંનેનું શાક થઈ શકે. કોળા પાકેલાં ખાવા જ સારા. પાકેલ કોળું સ્વાદે મીઠું, તાસીરે ઠંડું, ગુણમાં પચવામાં હલકું, ચીકણું, અગ્નિદીપક, મળ સાફ લાવનાર, વાત-પિત્તનાશક, કફકારક, રસાયન અને પથ્ય છે. તે ધાતુવર્ધક, પોષણ આપનાર, વાજીકર, બળવર્ધક, મૂત્રપિંડ સાફ રાખનાર, હ્રદયને … Read more

સુકામેવાઃ પિસ્તા

પિસ્તા ભારતની પેદાશ નથી. તેને પરદેશથી આયાત કરવા પડે છે. ઈરાન, સિરિયા અને અફઘાનિસ્તાનના પિસ્તા સારા ગુણકારી હોય છે.પિસ્તા ખાસ કરીને પશ્ચિમી એશિયામાં જોવા મળે છે પરંતુ તે મોટાભાગના ભૂમધ્ય ક્ષેત્રમાં પણ ઉપલબ્ધ હોય છે. પોષક તત્વોથી સમૃદ્ધ પિસ્તા એક સ્વાસ્થ્યવર્ધક ડ્રાયફ્રુટ છે. પિસ્તા સ્વાદે મીઠા તથા સહેજ કડછા છે. તાસીરે ગરમ, પચવામાં ભારે, સહેજ … Read more

જાણો આદું વિશે

આપણે જેને આદું તરીકે ઓળખીએ છીએ, તેને સંસ્કૃત ભાષામાં આદ્રક કહે છે. જે હંમેશાં લીલું ભીનું રહે છે અથવા જેને લીધે મુખમાં પાણી આવે છે અને જે જીભને ભીની રાખે છે. આ કર્મોને લીધે આદુંને આદ્રક કહે છે. આદુંમાંથી જલીયાંશ ઊડી જાય ત્યારે તેને સૂંઠ કહે છે. આદુંમાંથી સૂંઠ બને ત્યારે તેમાં એક ઉડનશીલ તેલ … Read more

સુવા

પરિચય : થોડાં ‍વરસો પહેલાં આપણાં ઘરોમાં સુવાનો મુખવાસ તરીકે ઘણો ઉપયોગ થતો; ઔષધ તરીકે પણ તેનો અવારનવાર ઠીક ઠીક ઉપયોગ થતો; પરંતુ તેના તીખા અને કટુ સ્‍વાદને કારણે હાલમાં તેનો ઉપયોગ ઘણો જ ઘટી ગયો છે. આ સુવાના ગુણનો ખ્‍યાલ કરીને આપણે ફરીથી તેનો ઉપયોગ વધારવો જોઇએ. દરેક સારી અને ગુણકારી વસ્‍તુનો સ્‍વાદ માણવો … Read more

જાણો ગોળ વિશે

ગળપણ ઉપરથી ગોળનું નામ પડ્યું એટલે ગોળ ખૂબ ગળ્યો હોય છે. તે એક વર્ષ જૂનો વાપરવો વધુ સારો. ગોળ ગળ્યો, સહેજ ગરમ, પચવામાં હલકો, ત્રિદોષહર, અગ્નિદીપક, ચીકણો, પથ્ય અને શક્તિપ્રદ છે. આ ઉપરાંત તે થાક ઉતારનાર, લોહીબગાડ મટાડનાર, લોહી શુદ્ધ કરનાર, કામશક્તિ વધારનાર અને રસાયન છે. તે પાંડુ, પ્રમેહ, ઉધરસ, શ્વાસ, કફના રોગ તથા પેટના … Read more

ગુણો નો ભંડાર – સરગવો

સરગવાનાં ફૂલ અને શીંગનું શાક ખવાય છે. તેના પાન, છાલ, મૂળ વગરેના ઔષધીય ઉપયોગો ઘણા છે. આ સરગવાનેસેજનઅનેમુનગાવગેરેનાનામથીપણઓળખવામાંઆવેછે. અંગ્રેજીમાંતેનેડ્રમસ્ટિકપણકહેવામાંઆવેછે. તેનુંવાનસ્પતિકનામમોરિંગાઓલિફોરાછે. ફિલિપિન્સ, મેક્સિકો, શ્રીલંકા,મલેશિયાવગેરેદેશોમાંપણસરગવાનોખૂબજવધુઉપયોગકરવામાંઆવેછે. દક્ષિણભારતમાંવ્યંજનોમાંતેનોઉપયોગકરવામાંઆવેછે.સરગવાનાબીજમાંથીતેલકાઢવામાઆવેછેઅનેછાલ, પાન, ગુંદર, જડવગેરેમાંથીપણઆયુર્વેદિકદવાઓતૈયારકરવામાંઆવેછે. સરગવો સ્વાદે મીઠો, સહેજ તૂરો, તાસીરે ગરમ, ગુણમાં લૂખો, પચવામાં હલકો, અગ્નિદીપક, મળશોધક, ત્રિદોષશામક છે. તે કૃમિનાશક, બરોળ, સોજા, શ્વાસ, તાવ, મેદ, ગોળો, આંખના રોગ, ચામડીના રોગ, માથાનો … Read more

લીમડાનાં મીઠા પાન

પરિચય : મીઠો લીમડો વનસ્‍પતિશાસ્‍ત્રમાં ‘બકામ લીમડા’ તરીકે ઓળખાય છે. સામાન્‍ય લોકભાષામાં તે ‘કઢીપત્તિ’ તરીકે જાણીતો છે. તે શાકમારકીટમાં તથા શાકભાજીનાં બજારોમાં સહેલાઇથી મળતો હોય છે. દરેક ગામડામાં પણ તે સહેલાઇથી મળી જાય છે. ગુણધર્મ : મીઠા લીમડાનાં પાન શીતળ, કડવાં, તીખાં, દીપન, પાચન, કંઇક તુરાશ પડતાં અને લઘુ હોય છે. તે દાહ, હરસ, કૃમિ, … Read more

ઔષધ પ્રયોગ

કબજિયાત – પીપાળાનુ પાન નાખીને ઉકાળેલુ દૂઘ પીવાથી ગૅસને કારણે થયેલ કબજિયાત મટે છે. પેટના વાયુ મટે છે. ગરમ દૂધ સાથે બે ચમચી ગુલકંદ કે ઇસબગુલ રાત્રે સૂતી વખતે લેવાથી મળ સાફ આવે છે. એસિડિટી – થોડું થોડું કરીને દિવસમાં ત્રણ વાર ગરમ દૂધ પીવાથી લાભ થાયછે. મૂત્રાશયના રોગ – દૂધમાં ગોળ મેળવીને પીવાથી મૂત્રાશયના … Read more

સુગંધી ઔષધ ચંદન

ચંદન સુખડ તરીકે પણ ઓળખાય છે. તેનું લાકડું સુગંધી હોય છે. તેને ઓરસિયા ઉપર ઘસીને ઘસારાનો શરીરે લેપ કરાય છે, કપાળે ‍તિલક કે ત્રિપુંડ કરાય છે. તેમાંથી સુગંધી તેલ પણ નીકળે છે. ચંદનનો રસ કડવો અને સહેજ મીઠો હોય છે. તેની તાસીર ઠંડી છે. તે હલકું, લૂખું, કફ- પિત્તશામક, દાહપ્રશમક, દુર્ગંધહર અને રંગ સુધારનાર છે. … Read more

error: Content is protected !!